Home Breaking News Financial Inequality : શું તમને ખબર છે ભારતમાં સૌથી વધુ સંપતિ કઈ...

Financial Inequality : શું તમને ખબર છે ભારતમાં સૌથી વધુ સંપતિ કઈ જ્ઞાતિ પાસે છે ? દેશની 89% સંપત્તિ સામાન્ય વર્ગ પાસે, દલિતોનો હિસ્સો માંડ 2.6%

0
1222
Financial Inequality
Financial Inequality

Financial Inequality : દેશમાં અસમાનતાનો મુદ્દો હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર બની રહ્યો હોવાના અનેક પુરાવા જોવા મળ્યા છે. આ વખતે કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં આવક અને સંપત્તિ મામલે અસમાનતાને સૌથી મોટો મુદ્દો બનાવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો ભારતમાં ગઠબંધનની સરકાર બનશે તો એક આર્થિક સર્વે કરવામાં આવશે અને તેના દ્વારા જાણવામાં આવશે કે દેશના સંસાધનો પર દરેક જાતિ અને સમુદાયનો કેટલો અધિકાર છે. રાહુલ ગાંધીએ પોતાની ઘણી ચૂંટણી રેલીઓમાં કહ્યું હતું કે જો ભારત ગઠબંધન સત્તામાં આવશે તો આ પહેલું કામ કરશે. પોતાની ચૂંટણી રેલીઓમાં રાહુલ ગાંધીએ પણ સતત કહ્યું કે ભારતમાં 40 ટકા સંપત્તિ માત્ર એક ટકા લોકો પાસે છે.

Financial Inequality

દેશની 85 ટકાથી વધુ સંપત્તિ ઉચ્ચ જાતિ એટલે કે સામાન્ય વર્ગના લોકો પાસે છે. જ્યારે અનુસૂચિત જાતિ વર્ગના લોકો પાસે માત્ર 2.6 ટકા હિસ્સો છે. આ આંકડા વર્ષ 2022 સુધીના છે. આ માહિતી વર્લ્ડ ઈનઈક્વાલિટી લેબ દ્વારા રજૂ કરવામાં આવેલા રિસર્ચ રિપોર્ટ પરથી જાણવા મળ્યા છે. આ રિસર્ચ ચોક્કસપણે સામાજિક-આર્થિક અસમાનતાને પ્રકાશિત કરે છે. જે દર્શાવે છે કે દેશની કુલ સંપત્તિનો મોટાભાગનો હિસ્સો મર્યાદિત વર્ગ પાસે છે. મે, 2024માં ‘ટુવર્ડ્સ ટેક્સ જસ્ટિસ એન્ડ વેલ્થ રિ-ડિસ્ટ્રિબ્યૂશન ઈન ઈન્ડિયા’ શીર્ષક હેઠળ આ રિસર્ચ રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો.

Financial Inequality

એનએસએસઓ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ દેશમાં ઓબીસી કેટેગરીની વસ્તી 40.94%, એસસી કેટેગરીની વસ્તી 19.59%, એસટી કેટેગરીની વસ્તી 8.63% અને અન્ય કેટેગરીની વસ્તી 30.80% છે.

Financial Inequality :  જાતિ આધારિત સંપત્તિમાં આદિવાસી સમુદાય પાસે કોઈ સંપત્તિ નહીં

વર્ષસર્વણો (ટકામાં)ઓબીસી (ટકામાં)દલિતો (ટકામાં)
201380.317.81.8
201478.1201.9
201578.417.64
201679.716.83.5
201780.116.13.7
201881.714.44
201981.415.23.5
202084.311.64.1
20218610.13.9
202288.492.6

Financial Inequality :  ઓક્સફેમ ઇન્ટરનેશનલ રિપોર્ટ

ગયા વર્ષે ઓક્સફેમ ઈન્ટરનેશનલે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો અને તેમાં ખુલાસો થયો હતો કે ભારતના સૌથી ધનિક 1% લોકો દેશની કુલ સંપત્તિના 40%થી વધુની માલિકી ધરાવે છે. જ્યારે અડધી વસ્તી કુલ સંપત્તિના માત્ર 3% જ ધરાવે છે. જો ભારતના દસ સૌથી ધનાઢ્ય લોકો પર 5% ટેક્સ લાદવામાં આવે તો તમામ બાળકોને શાળાએ મોકલવા માટે પર્યાપ્ત રકમ જનરેટ થઈ શકે છે.

Financial Inequality :  દેશની કુલ સંપત્તિમાં ઓબીસીનો હિસ્સો 9 ટકા

Financial Inequality

દેશની કુલ સંપત્તિમાં ઓબીસીનો હિસ્સો 9% છે. રાહુલ ગાંધીએ તેમની ચૂંટણી રેલીઓમાં જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અલગ-અલગ વિસ્તારોમાં ઓબીસીનો હિસ્સો શું છે તે જાણવા મળશે. તેમણે કહ્યું કે દેશમાં 90 ટકા વસ્તી એસસી-એસટી, ઓબીસી અને લઘુમતીઓની છે પરંતુ તેઓને તેમની વસ્તી મુજબ મીડિયા, ખાનગી સંસ્થાઓ, નોકરશાહી અને કોર્પોરેટમાં ભાગીદારી નથી મળી રહી.

Financial Inequality :  કુલ સંપત્તિમાં સવર્ણ હિંદુઓનો 41% હિસ્સો

વર્ષ 2019માં એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ દલિત સ્ટડીઝ દ્વારા 2 વર્ષ સુધી કરવામાં આવેલા અભ્યાસ બાદ જણાવવામાં આવ્યું હતું કે દેશની કુલ વસ્તીમાં સવર્ણ હિંદુઓ 22.3% છે., તેમની પાસે દેશની કુલ સંપત્તિના 41% છે અને તેઓ સૌથી ધનિક વર્ગ છે. જ્યારે 7.8% હિંદુ આદિવાસીઓ પાસે માત્ર 3.7% મિલકત છે.

Financial Inequality : નવા અબજોપતિઓ પણ ઉચ્ચ જાતિના

Financial Inequality

આ રિસર્ચ રિપોર્ટ પેરિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના અનમોલ સોમાંચીનું છે. સોમાંચીનું કહેવું છે કે આ રિપોર્ટ દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જે નવા અબજોપતિ બન્યા છે તેમાં મોટી સંખ્યામાં સવર્ણ જાતિના છે. જ્ઞાતિ શિક્ષણ, આરોગ્ય, સોશિયલ નેટવર્ક નક્કી કરે છે. દેશના ઘણા વિસ્તારોમાં દલિતોને જમીન ધરાવવાની મંજૂરી નથી અને તેનાથી તેમની આર્થિક પ્રગતિ પર અસર પડે છે.

Financial Inequality :  ‘સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડિયા 2023’ રિપોર્ટ

Financial Inequality

અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ‘સ્ટેટ ઑફ વર્કિંગ ઈન્ડિયા 2023’ શીર્ષકના અહેવાલ અનુસાર, ભારતમાં SC અને ST વર્ગના લોકો અન્ય સમુદાયોની તુલનામાં ખૂબ જ ઓછી સંસ્થાઓના માલિક છે. એસસી-એસટી સમુદાયો સામે સામાજિક રીતે ભેદભાવ કરવામાં આવે છે અને સંસાધનો, શિક્ષણ અને આર્થિક તકોનો અભાવ પણ જોવા મળ્યો છે.

Financial Inequality :  કયા વર્ગના કેટલા ઉદ્યોગપતિઓ?

વર્ગરોજગારીનો હિસ્સોઉદ્યોગપતિની સંખ્યા
SC19.311.4
ST10.15.4
OBC43.541
અન્ય27.142.1

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે