NOTA: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન નકારી કાઢવામાં આવ્યા બાદ અને અન્ય ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
NOTA વિકલ્પ પર મત આપવાના અધિકારને આધારે અરજી
સુરતમાં પુનઃ ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ માટે મતદારોના નોટા વિકલ્પ પર મત આપવાના અધિકારને આધાર બનાવવામાં આવ્યો છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન નકારી કાઢવામાં આવ્યા પછી અને અન્ય ઉમેદવારોએ તેમના નામાંકન પાછું ખેંચી લીધા પછી પણ લોકો પાસે NOTA ને મત આપવાનો વિકલ્પ હતો.
ચૂંટણી પંચે મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા બાદ, મતદારોને નોટા વિકલ્પ દ્વારા તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે નોટા વિકલ્પની વિશ્વસનીયતા જાળવવા માટે ચૂંટણી પંચને સુરતમાં ફરીથી ચૂંટણી કરાવવાનો આદેશ આપવામાં આવે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન નકારી કાઢવામાં આવ્યા પછી અને અન્ય ઉમેદવારોએ તેમના નામાંકન પાછું ખેંચી લીધા પછી પણ જનતા પાસે NOTA ને મત આપવાનો વિકલ્પ હતો. ચૂંટણી પંચે મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા બાદ, મતદારોને નોટા વિકલ્પ દ્વારા તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે નોટા વિકલ્પની વિશ્વસનીયતા જાળવવા માટે ચૂંટણી પંચને સુરતમાં ફરીથી ચૂંટણી કરાવવાનો આદેશ આપવામાં આવે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.