Home Desh અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહની મનમોહક તસવીરો, આવતા મહિને થશે પ્રાણ પ્રતિષ્ઠા

અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહની મનમોહક તસવીરો, આવતા મહિને થશે પ્રાણ પ્રતિષ્ઠા

0
952
Ayodhya Ram temple
Ayodhya Ram temple

Ayodhya : અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ગર્ભગૃહનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન, ગર્ભગૃહની પ્રથમ તસવીર પણ સામે આવી છે, જેમાં ભવ્ય ગર્ભગૃહની દિવાલો અને ગુંબજ પર સુંદર કોતરણી જોવા મળે છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા આ તસવીર જાહેર કરવામાં આવી છે. અયોધ્યા (Ayodhya) માં રામ મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ આવતા વર્ષે 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત લગભગ સાત હજાર લોકોને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભગવાન રામલલાની ત્રણ મૂર્તિઓ બનાવવાનું કામ પૂર્ણતાના આરે

ત્રણ મૂર્તિઓમાંથી બે કર્ણાટકના પથ્થરની અને એક રાજસ્થાનની છે

સાત હજાર લોકોને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ગર્ભગૃહની તસવીર શેર કરી છે.

રામલલાની મૂર્તિ 15 ડિસેમ્બર સુધીમાં મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે તૈયાર થઈ જશે. રામલલા (ભગવાન રામનું બાળ સ્વરૂપ)ની ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભગવાન રામલલાની ત્રણ મૂર્તિઓ બનાવવાનું કામ પૂર્ણતાના આરે છે, જેમાંથી એક રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

શ્રેષ્ઠ મૂર્તિની પસંદગી 15મી ડિસેમ્બરે કરવામાં આવશે

15 ડિસેમ્બરે મંદિર ટ્રસ્ટની ધાર્મિક સમિતિ આ મૂર્તિઓમાંથી પ્રાણ પ્રતિષ્ઠા માટે શ્રેષ્ઠ મૂર્તિની પસંદગી કરશે. મૂર્તિઓ 90 ટકા તૈયાર છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સેલિબ્રિટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું

ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોધ્યા (Ayodhya) ખાતે  રામ મંદિરમાં રામલાલના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણી સહિત લગભગ સાત હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે