Home State Punjab પંજાબ સરકારે ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુક્યો

પંજાબ સરકારે ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુક્યો

0
466
પંજાબ સરકારે ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુક્યો
પંજાબ સરકારે ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુક્યો

પંજાબ સરકારે દીપાવલી મહા પર્વ પર ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. મળતી માહિતી મુજબ દેશભરમાં દીપાવલી પર ઉજવાશે તેમાં પંજાબમાં પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં આવતું હોય છે. ત્યારે દિવાળી પર્વ પર પંજાબ સરકારે કહ્યું છે કે ગુરુ પર્વ અને દીપાવલી પર માત્ર બે કલાક જ ફટાકડા ફોડવાની મંજુરી આપવામાં આવશે. અને તેનો ચુસ્ત અમલ કરાવવામાં આવશે. સરકારે જણાવ્યું કે દિવાળી અને નાતાલ પર્વ માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે. રાત્રે 8 થી 10 વાગ્યા સુધી અને સવારે 4 થી 5 અને રાત્રે 9 થી 10 અને નવા વર્ષેની પૂર્વ સંધ્યાએ આ નિયમોનો ચુસ્ત અમલ થાય તે રીતે ઓછા પ્રદુષણ વાળા સમયમાં ફટાકડા ફોડવાની મંજુરી આપવામાં આવશે. આ ઉપરાંત પંજાબ સરકારે ઓનલાઈન ફટાકડા પર વેચાણને મંજુરી આપી નથી અને સંપૂર્ણ પ્રતિબંધ મુખ્યો છે. પંજાબ સરકારે દિવાળી, ગુરુપર્વ , ક્રિસમસ, અને નવા વર્ષમાં ઓછા પ્રદુષણ ફેલાવે તેવા ફટાકડાના વેચાણને જ મંજુરી આપવામાં આવશે તેવું પણ એક સરકારી યાદીમાં કહેવામાં આવ્યું. પંજાબ સરકારના પર્યાવરણ મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના તથા વન અને આબોહવા મંત્રાલયે આપેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ અનુસાર રાજ્ય સરકાર પાલન કરીને ચુસ્ત નિયમોનું પંજાબમાં પાલન કરાવશે જેથી હવા પ્રદુષણને નિયંત્રિત કરી શકાય.

main 1 1

પર્યાવરણ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં ફટાકડાના ઉત્પાદનમાં , સ્ટોક, વિતરણ, વેચાણ, અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત નિર્દેશ આપવામાં આવ્યો છેકે ફટાકડાના વેચાણ માટે લાઇસન્સ ધરાવતા વેપારીઓજ ફટાકડાનું વેચાણ કરી શકશે અને ઓનલાઈન ફટાકડાનું વેચાણ કરતી વેબ સાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંત્રીએ કહ્યું કે પોલીસ અધિકારીની પરવાનગી વિનાના ફટાકડા સ્ટોર પણ ગેરકાયદેસર ગણવામાં આવશે. અને નિર્દેશો અનુસાર પ્રદુષણ ઓછું ફેલાવે ,

અવાજની માત્ર ઓછી હોય તેવાજ ફટાકડાનું વેચાણ કરવાનું રહેશે . કોઈ પણ પ્રકારની ગેરકાનૂની સ્ટોર અને ફટાકડાનું વેચાણ નિયમો વિરુદ્ધ થતું હશે તો પંજાબ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરીને જવાબદાર લોકો સામે પગલા ભરશે . પંજાબમાં પરાળ બળવાનું હાલ શરુ છે અને મોટી માત્રામાં હવા પ્રદુષણ ફેલાઈ રહ્યું છે જે માટે વધુ પ્રદુષણ ન થાય તેની તકેદારી પણ રાજ્ય સરકાર રાખી રહી છે .

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે