Saudi Prince On Israel Gaza War : સાઉદી અરેબિયાના પ્રિન્સે ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Saudi Prince On Israel Gaza War) વચ્ચે બંને દેશોની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ સંઘર્ષમાં કોઈ હીરો નથી પરંતુ માત્ર પીડિત છે. સાઉદી પ્રિન્સ તુર્કી અલ ફૈઝલે (Turki Al Faisal) પણ એક અમેરિકન યુનિવર્સિટીમાં ભાષણ દરમિયાન ભારતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ‘અસહકાર અંદોલન’ દ્વારા પ્રતિકાર કરવાના ઉદાહરણ તરીકે ટાંક્યું હતું. તેમણે કહ્યું હતું કે કબજે કરનાર જૂથને પ્રતિકાર કરવાનો અધિકાર છે, ભલે તે લશ્કરી કેમ ના હોય.
સાઉદી રાજકુમારે (Saudi Prince) કહ્યું, “હું પેલેસ્ટાઈનમાં લશ્કરી વિકલ્પને સમર્થન આપતો નથી. હું બીજા વિકલ્પને પસંદ કરું છું- નાગરિક બળવો અને અસહકાર. તેનાથી ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય અને પૂર્વ યુરોપમાં સોવિયેત સામ્રાજ્યનું પતન થયું.”
સાઉદી પ્રિન્સે હમાસ હુમલાની નિંદા કરી :
તેમણે કહ્યું કે, ઈઝરાયેલ લશ્કરી રીતે ખૂબ જ મજબૂત છે અને દુનિયા ગાઝા (#GAZA)માં તે કરી રહેલા વિનાશ જોઈ શકે છે. . હમાસ પર નિશાન સાધતા કહ્યું, “હું સ્પષ્ટપણે હમાસ દ્વારા કોઈપણ વયના નાગરિકોને નિશાન બનાવવાની નિંદા કરું છું. હમાસની ઇસ્લામિક ઓળખને ખોટી પાડે છે.”
સાઉદી રાજકુમારે (Saudi Prince) ઈઝરાયેલ સરકારને હુમલાની તક આપવા બદલ હમાસની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આ સરકારને ગાઝામાંથી તેના નાગરિકોને ખતમ કરવાની અને બોમ્બમારો કરવાની તક આપવા બદલ હું હમાસની નિંદા કરું છું.”
આ સાથે તેમણે પેલેસ્ટાઈન મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ સુધી પહોંચવાના સાઉદી અરેબિયાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા બદલ પણ હમાસની ટીકા કરી હતી. જો કે, સાઉદી પ્રિન્સે ગાઝા અને પશ્ચિમ કાંઠામાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતા તેના વળતા હુમલાઓ માટે ઇઝરાયેલની ટીકા કરી ન હતી. તેમણે કહ્યું બે ખોટા ભેગા થઈને એક સાચ્ચું કદી બનતું નથી.
સાઉદી પ્રિન્સે ઈઝરાયેલ પર નિશાન સાધ્યું :
સાઉદી પ્રિન્સે ઈઝરાયેલ પર નિશાન સાધ્યું સાઉદી પ્રિન્સે (Saudi Prince) અમેરિકન મીડિયાના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઇઝરાયેલમાં હમાસનો હુમલો ઉશ્કેરણી વગરનો હતો. તેમણે કહ્યું કે ભૂતકાળમાં ઈઝરાયેલે પેલેસ્ટિનિયન લોકો સાથે જે કર્યું છે તેને વધુ ઉશ્કેરણી કરવાની જરૂર શું છે..?
તેણે પેલેસ્ટાઈન પરના અત્યાચાર અને નાગરિકોની હત્યા માટે ઈઝરાયેલને નિશાન બનાવતા કહ્યું કે આ રક્તપાત બંધ થવો જોઈએ. તેણે પેલેસ્ટાઈનની જમીન ચોરી કરવા બદલ ઈઝરાયેલની નિંદા કરી, તેમણે ઈઝરાયેલ પર તેલ અવીવ પર ઈરાદાપૂર્વક પેલેસ્ટિનિયનોની હત્યા અને નાગરિકોને જેલમાં ધકેલી દેવાનો આરોપ લગાવ્યો. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, હમાસ દ્વારા ઇઝરાયેલના શહેરો પરના હુમલા અને ક્રૂર જવાબી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 5,800 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.