Home Gujarat Ahmedabad 17 વર્ષના પૃથ્વીરાજ રાઠોડના અંગદાન દ્વારા માનવતાની મહેંક પ્રસરાવી

17 વર્ષના પૃથ્વીરાજ રાઠોડના અંગદાન દ્વારા માનવતાની મહેંક પ્રસરાવી

0
587
17 વર્ષના પૃથ્વીરાજ રાઠોડના અંગદાન દ્વારા માનવતાની મહેંક પ્રસરાવી
17 વર્ષના પૃથ્વીરાજ રાઠોડના અંગદાન દ્વારા માનવતાની મહેંક પ્રસરાવી

માં અંબાની ભક્તિના સૌથી મોટા પર્વ નવરાત્રીની પુર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૬મું  અંગદાન થયું છે. ખોરજના ૧૭ વર્ષના યુવક પૃથ્વીરાજસિંહ રાઠોડને માર્ગ અકસ્માત દરમિયાન માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે ગત ૧૦ મી ઓક્ટોબરના રોજ થયેલ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતાં  પૃથ્વીરાજસિંહને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ૧૭ વર્ષના આ યુવાનની સઘન સારવાર હાથ ધરવામાં આવી. ચાર દિવસની સઘન સારવારના અંતે તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા કાઉન્સેલર્સ દ્વારા પૃથ્વીરાજસિંહના પિતા ધર્મેન્દ્રસિંહ રાઠોડને અંગદાન માટે પ્રેરણા આપવામાં આવી. આ પ્રેરણાથી પ્રેરાઈને તેમણે પોતાના વ્હાલસોયા દીકરાના અંગોનું દાન કરીને અન્યના જીવનમાં મહેક પ્રસરાવી છે અને તેમનો એક નિર્ણય અને અન્યને જીવતદાન મળ્યું છે અને માત્ર 17 વર્ષના કિશોરના પિતાએ સમાજમાં પ્રેરણાદાયી દાખલો પૂરો પડ્યો છે અંગદાન દરમિયાન સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી છે. આ અંગે જણાવતા સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ‌.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે , સિવિલ હોસ્પિટલમાં ૧૭ વર્ષના યુવકના અંગદાને બે લોકોને નવી જિંદગી આપી છે. તેમણે જણાવ્યું કે  સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં થયેલ ૧૩૭ અંગદાનમાં ૪૩૭ અંગો મળ્યાં છે. જેના થકી ૪૨૦ જરુરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

WhatsApp Image 2023 10 15 at 17.47.33

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને તેથી અન્ય વ્યક્તિઓને મળતું જીવન પ્રેરણાદાયી પ્રવુત્તિ ચાલી રહી છે જેના થકી ૧૩૬મુ અંગદાન સિવિલ હોસ્પિટલમાં આ ખાસ વિભાગ દ્વારા થયું તે અમદાવાદ અને મેડીકલ ઇતિહાસમાં નોંધનીય ઘટના છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાને પણ મુલાકાત કરીને આ અંગદાન પ્રવુંત્તિને નિહાળી હતી અને અમદાવાદ સિવિલ હોસ્પીટલની ટીમને બિરદાવી હતી.

આપને જણાવી દઈએ કે આયુષ્માન ભવ કાર્યક્રમ હેઠળ ગુજરાતના મહેમાન બનેલા કેન્દ્રીય પ્રધાને અમદાવાદની સિવિલ હોસ્પીટલના મુલાકાત દરમિયાન અંગદાનના સેવાકીય પ્રવુત્તિ સાથે જોડાયેલા તબીબો, નસિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફની મુલકર લઈને આ પ્રવુત્તિ અંગેની જાણકારી મેળવી હારી. અંગદાનને લગતી તમામ પ્રક્રિયાની ઊંડાણ પૂર્વક જાણકારી મેળવીને સંપૂર્ણ SOP બાબતે પણ ચર્ચા કરી હતી. અંગદાતાઓની સ્મુતીમાં સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા અમર કક્ષની મુલાકાત લઈને તમામ અંગદાતાઓને નમન કર્યા હતા.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે