પંજાબ પર થશે હમાસ જેવું : ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ધમકી

0
224
પંજાબ હમાસ પન્નુની ધમકી
પંજાબ હમાસ પન્નુની ધમકી

પંજાબ મુખ્યમંત્રી અને ભારત સરકારને આતંકવાદી પન્નુની ધમકી મળી છે.જેમાં તેને હમાસ ના હમલાથી બોધપાઠ શીખવાનું જણાવ્યું છે.આ ખાલિસ્તાની આતંકવાદી હજી પોતાની બકવાસ વાતો કરવામાંથી બહાર આવતો નથી.અલગ અલગ નવા વીડિઓ જાહેર કરીને છુપીને પન્નુની ધમકી આપવાનું કામ કરે છે. હમાસ અને ઈઝરાયેલની વાત કરીને પંજાબ માટે બકવાસ ચાલુ કરી દીધી છે.ખાલિસ્તાની આતંકવાદી શીખ ફોર જસ્ટીસના વડા ગુરપતવંત સિંહ પન્નુનો વીડિઓ ભારત-પાકિસ્તાનના વર્લ્ડ કપ પહેલા આયો છે જેના લીધે સુરક્ષાને વધુ મજબુત બનાવામાં આવી છે.

ખાલિસ્તાની આતંકવાદી શીખ ફોર જસ્ટીસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ ફરીવાર પોતાની બકવાસ કરી છે.ભારત સરકાર અને પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માનને ધમકીમાં કહ્યું હમાસે ઇઝરાયેલ પર જે રીતે હુમલા કર્યા તેવા ભારત પર કરી શકે છે.આ હુમલામાં ભારત સરકાર અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બંનેને સીખવા જેવું છે.ખાલિસ્તાની આતંકવાદી શીખ ફોર જસ્ટીસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ સોશિઅલ મિડિયા પર એક વિડીઓ શેર કરીને ધમકી આપી છે.આ વિડીઓ ૪૦ સેકન્ડનો જાહેર થયેલો છે.જેમાં ખાલિસ્તાની આતંકવાદી શીખ ફોર જસ્ટીસના વડા ગુરપતવંત સિંહ પન્નુની ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળી રહ્યો છે.તેણે કહ્યું કે પંજાબને તે ભારતનો ભાગ માનતો નથી અને તેને આઝાદ કરવા માટે સતત કામ કરતો રેહશે. આવી અનેક પ્રવુતિઓ એ કરતો રેહશે જેનાથી તે પોતાના ધેય્ય માટે કામ કરતો રહે.ખાલિસ્તાની આતંકવાદી શીખ ફોર જસ્ટીસના વડા ગુરપતવંત સિંહ પન્નુ બીજી કહેતા જણાવે છે કે ઈઝરાયેલની તર્જ પર ભારતે પંજાબ પર કબજો જમાવ્યો છે. જો ભારત હિંસા શરુ કરશે તો અમે પણ હિંસા શરુ કરી દઈશું.આતંકવાદી શીખ ફોર જસ્ટીસના વડા ગુરપતવંત સિંહ પન્નુનું કેહવું છે કે એ વોટિંગમાં માને છે.તમે પણ તમારા મત પર વિશ્વાસ કરો અને હવે પંજાબને આઝાદ થવાનો દિવસ નજીક આવી ગયો છે.પંજાબ હવે ટૂંક સમયમાં ભારત થી અલગ થશે અને સ્વતંત્ર થશે. ધમકી – શું તમે બધા મતદાન કરવા માંગો છો?કે તમારે ગોળી જોઈએ છે કે….?????

જુઓ પંજાબના મહત્વના સમાચાર વી.આર.લાઇવ ન્યુઝ ચેનલ અને વેબ પોર્ટલ પર

મહત્વના 5 સમાચાર , સીએમ માનનો કોને પડકાર અને શું થયું આજે પંજાબમાં