HomeDeshદુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પ્ણી

દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પ્ણી

દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પ્ણી

પુરુષ પર બળાત્કારનો ખોટો આરોપ સ્ત્રી પર બળાત્કાર જેટલો જ ભયાનકઃસુપ્રીમ

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ કર્યો

દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટે એક કેસમાં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, પુરુષ પર બળાત્કારનો ખોટો આરોપ સ્ત્રી પર બળાત્કાર જેટલો જ ભયાનક અને પીડાદાયક છે.સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે બળાત્કાર પીડિતાને સૌથી મોટી તકલીફ, ભયાનકતા અને અપમાનનું કારણ બને છે, પરંતુ ખોટા આરોપથી આરોપીને સમાન તકલીફ, અપમાન અને નુકસાન થઈ શકે છે.. જસ્ટિસ બીઆર ગવઈ અને જેબી પારડીવાલાની બેન્ચે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ આરોપી એફઆઈઆરને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરે છે કે આવી કાર્યવાહી સ્પષ્ટપણે વ્યર્થ અથવા ઉશ્કેરણીજનક છે, તો આવા સંજોગોમાં કોર્ટની ફરજ છે કે તેણે એફઆઈઆરને કાળજીપૂર્વક જોવી જોઈએ. .

ખંડપીઠે જણાવ્યું હતું કે, બળાત્કારના કિસ્સામાં, ફરિયાદી વ્યક્તિગત વેર વગેરેના હેતુથી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવાનું નક્કી કરે છે, પછી તેણે ખાતરી કરવી જોઈએ કે FIR/ફરિયાદ તમામ જરૂરી દલીલો સાથે ખૂબ જ સારી રીતે તૈયાર કરવામં આવી છે. ખાતરી કરવી જોઈએ કે FIR/ફરિયાદમાં આપેલા નિવેદનો કથિત ગુનાને સાબિત કરવા માટે જરૂરી સામગ્રીની રચના કરવા જેવા છે. તેથી, કોર્ટ માટે માત્ર એફઆઈઆર/ફરિયાદમાં કરાયેલી દલીલો પર ધ્યાન આપવું પૂરતું નથી. ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના મિર્ઝાપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે નોંધાયેલા બળાત્કાર અને ફોજદારી ધમકીના કેસને રદ્દ કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ કરતી વખતે સર્વોચ્ચ અદાલતે આ અવલોકન કર્યું હતું.

વાંચો અહીં જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ગ્રેનેડ હુમલો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments