Home Desh બાલાસોર ટ્રેન દુર્ઘટના મામલે મોટા સમાચાર

બાલાસોર ટ્રેન દુર્ઘટના મામલે મોટા સમાચાર

0
512

બાલાસોર ટ્રેન દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBIએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ સોરો સેક્શન સિગ્નલના જુનિયર એન્જિનિયર (જેઈ)ના ઘરને સીલ કરી દીધું છે, જ્યાં તે ભાડેથી તેના પરિવાર સાથે રહેતો હતો. બહાનાગા રેલ્વે સ્ટેશન (બાલાસોર) પર અકસ્માત બાદ સીબીઆઈ દ્વારા સિગ્નલ જેઈની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારથી તે તેના પરિવાર સાથે ગુમ છે.બાલાસોર અકસ્માતમાં 292 લોકોના મોત થયા છે. 2 જૂને થયેલા અકસ્માત બાદ રેલવે દ્વારા CBI તપાસની ભલામણ કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા સિગ્નલ જેઈની પૂછપરછ કરવામાં આવી હતી.

ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સાથે છેડછાડની શંકા વ્યકત કરવામાં આવી હતી

સીબીઆઈની ટીમ 16 જૂને બાલાસોરથી નીકળી ગઈ હતી પરંતુ સોમવારે અચાનક પરત ફરી અને સિગ્નલ જેઈના ઘરને સીલ કરી દીધું. અકસ્માત બાદ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડની આશંકા હતી. આ પછી તપાસ એજન્સી આ કેસમાં સામેલ થઈ ગઈ હતી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે ભુવનેશ્વર પહોંચી ગયા છે. ભુવનેશ્વરમાં, વૈષ્ણવ પુરી જશે, જ્યાં તે સાંજે પુરી રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કરશે અને વિશ્વ વિખ્યાત રથયાત્રાને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરશે, એમ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.

વૈષ્ણવ મંગળવારે સવારે રથયાત્રા સ્થળની પણ મુલાકાત લેશે.

બાદમાં, તેઓ સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા બહનગા બજારની મુલાકાત લેશે, જ્યાં 2 જૂનની સાંજે ટ્રિપલ ટ્રેન અકસ્માત થયો હતો. તેઓ બાલાસોર જિલ્લા હોસ્પિટલની પણ મુલાકાત લેશે અને હોસ્પિટલ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને મળશે. આ સિવાય તેઓ બાલાસોર રેલ્વે સ્ટેશનના વિકાસનું નિરીક્ષણ અને સમીક્ષા કરશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે