Home State Gujarat કચ્છ જીલ્લામાં બિપોરજોય વાવાઝોડાએ 80% વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું

કચ્છ જીલ્લામાં બિપોરજોય વાવાઝોડાએ 80% વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું

0
607

કચ્છ જીલ્લામાં બિપોર જોય વાવાઝોડું ત્રાટક્યું હતું. બિપોર જોય વાવાઝોડાથી કચ્છ માં ખૂબ જ તારાજી સર્જાઈ છે . કચ્છ જીલ્લાના મોટાભાગના વિસ્તારો ખાસ કરીને અંજાર તાલુકાના ખેડોઈ ગામમાં મુખ્યત્વે બાગાયતી ખેતી વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે, ત્યારે કચ્છ માં વાવાઝોડા એ 80% વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે, દાડમ, કેરી, ખારેક, જામફળ વગેરે વૃક્ષોને જમીન દોસ્ત કરી નાખ્યા છે. હાલમાં જ શરૂ થયેલા કેરી,ખારેક અને દાડમ પાક સાથે વૃક્ષોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કપાસનું પણ હાલમાં જ વાવેતર કરવામાં આવેલ હતો તે પણ સંપૂર્ણપણે નાશ પામેલ છે. ગામની અંદર મકાનોના પતરા અને નળિયા પાંદડા ની જેમ ઉડવા લાગ્યા હતા. વીજ પોલને પણ ધરાશય કરી નાખ્યા હતા. જુના જુના લીમડાના અને વડના વૃક્ષો જે 100 200 વર્ષ જુના હતા,તે વૃક્ષોને પણ મૂળ સહિત ઉખાડી નાખ્યા છે. તંત્ર અને સ્થાનિકો એક વાતનું આશ્વાસન લઇ રહ્યા છે કે જાનહાની થઈ નથી.

ઝાડ પડ્યા 1

કચ્છ જીલ્લામાં અનેક રસ્તા પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા તો આ તરફ કચ્છ ના ભૂજમાં પણ વાવાઝોડાને લઈને વ્યાપક અસર જોવા મળી છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહારને વ્યાપક અસર જવા મળી રહી છે. તો સાથે જ વીજપોલ ધરાશાયી થતા તંત્રને ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે. વાવાઝોડાની ગંભીરતાને લઈને તંત્ર એલર્ટ હતુ.અને આથી ફીડર બંધ કરી દેવાના કારણે વીજપુરવઠો બંધ છે. જેથી વીજપોલ ધરાશાયી થવા છતાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બિપોર જોય વાવાઝોડાની અસર પહેલા પોલીસની રેસ્ક્યુ ટીમ દ્રારા વાવાઝોડા દરમ્યાન જાનહાની અટકાવાના હેતુથી દરિયાકાંઠા નજીક આવેલા જિલ્લાઓમાં તરવૈયાઓની ટીમ તથા આપાતકાલીન સમય મા બ્લડ ની જરૂર પડ્યે સ્વૈછીક બ્લડ ડોનેટ કરવાવાળાઓની ટીમ બનાવવામાં આવેલ અને તે ટીમ સતત આજે પણ ખડે પગે સેવા આપી રહી છે.

બીજી તરફ મોરબીનો નવલખી પોર્ટ શરૂ થતાં પોર્ટ પર વાહનોની ત્રણથી પાંચ કિલોમીટર લાંબી કતારો લાગી બિપરજોય વાવાઝોડાને લીધે છેલ્લા સાત દિવસથી નવલખી પોર્ટ પર તમામ કામગીરી બંધ કરવામાં આવી હતી. ગુજરાતના અનેક કર્મચારીઓ ,ખાસ કરીને વીજ સપ્લાય ફરીથી રાબેતા મુજબ થાય તે માટે રાત દિવસ કામ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તમામ મંત્રીઓ સતત નુકશાનીનો તાગ મેળવી રહ્યા છે. કેન્દ્રીય ગ્રુહ મંત્રી અમિત શાહ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ ચુક્યા છે. બચાવ અને રાહત કાર્ય આજે પણ ચાલુ છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે