HomeVideshઓડિશા ટ્રેન અકસ્માત શહબાઝ શરીફે વ્યક્ત કર્યો શોક

ઓડિશા ટ્રેન અકસ્માત શહબાઝ શરીફે વ્યક્ત કર્યો શોક

ઓડિશા ટ્રેન અકસ્માતના કારણે દેશ આઘાતમાં છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના મોત થયા છે. લગભગ 900 લોકો ઘાયલ થયા છે. ભારતમાં બનેલી ઘટનાને લઈને લોકોના મનમાં સહાનુભૂતિ છે. તે જ સમયે, આ ઘટનાની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. વૈશ્વિક નેતાની સાથે સાથે વિશ્વભરના દેશોમાંથી ભારતને શોક સંદેશ મોકલવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ટ્વીટ કર્યું, ‘ભારતમાં ટ્રેન દુર્ઘટનામાં સેંકડો લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. હું આ દુર્ઘટનામાં તેમના પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના!

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments