ખાપ પંચાયતોએ સરકારને આપ્યુ 9 જુન સુધીનો અલ્ટીમેટમ !

0
140

ખેલાડિયોના સમર્થનમાં ખાપ પંચાયત

9 જુન સુધી આરોપીની ધરપકડ કરો નહી તો આંદોલન થશે- ખાપ

વિરોધ કરી રહેલા પહેલવાનોના સમર્થનમાં હવે ખાપ પંચાયતોએ સરકારને અલ્ટીમેટમ આપી દીધો છે, ખાપ નેતાઓએ કુસ્તીબાજોના સમર્થનમાં બેઠક કર્યા પછી જાહેરાત કરી છે, ખેડુત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યુ છે કે કેન્દ્ર સરકાર પાસે 9 જૂન સુધીનો સમય છે, અમે બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરતાં ઓછી કોઈ બાબતમાં સમાધાન કરીશું નહીં. જો આમ નહીં થાય તો અમે 9 જૂને જંતર-મંતર જઈશું અને દેશભરમાં પંચાયતો યોજીશું. કુસ્તીબાજો સામેના કેસ પાછા ખેંચવા જોઈએ અને બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ થવી જોઈએ:”જો અમને 9 જૂને જંતર-મંતર પર બેસવા દેવામાં નહીં આવે તો આંદોલનની જાહેરાત કરવામાં આવશે,” મહત્વનુ છે કે હવે ખેલાડિયોના સમર્થનમાં ધીમે ધીમે માહોલ બની રહ્યો છે, એટલે જ બ્રિજ ભુષણ શરણ સિહંને પોતાના સમર્થનમાં અયોધ્યામાં પ્રસ્તાવિત સંત સ્થગિત રાખવાની  ફરજ પડી હતી,