પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાને કહ્યું છે કે, “જો પાકિસ્તાનની કોર્ટ દ્વારા મને અયોગ્ય જાહેર કરવામાં આવશે તો પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફ પાર્ટીનું નેતૃત્વ શાહ મહેમૂદ કુરેશી કરશે. સ્થિતિ બહુ જલ્દી બદલવા જઈ રહી છે. હું એક મોટુ સરપ્રાઈઝ આપવાનો છું. કેટલાક નેતાઓ પાર્ટી મજબૂરીમાં છોડી ગયા છે તો કેટલાકના અસલી ચરિત્રનો પાર્ટી છોડવાના કારણે પર્દાફાશ થઈ ગયો છે. યુવાઓ મારી પાર્ટીની સૌથી મોટી મિલ્કત છે. પાર્ટીની ટિકિટ પર તેમનો સૌથી પહેલો અધિકાર છે. ભણે ઘણા બધા નેતાઓએ પાર્ટી છોડી દીધી હોય પણ પીટીઆઈ આગામી ચૂંટણી જીતવાની છે તે નિશ્ચિત છે.”
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.