દેશની જનતા વિપક્ષોને માફ નહી કરે- યોગી આદિત્યનાથ

0
139

યોગી આદિત્યનાથે નવી સંદદને લઇને આપ્યુ નિવેદન

વિરોધ પક્ષના આ  કૃત્યને દેશની જનતા જોઇ રહી છે- યોગી આદિત્યનાથ

નવા સંસદના ઉદ્ઘાટનને લઇને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્ય નાથે વિપક્ષો ઉપર પ્રહાર કર્યા છે, આદિત્યનાથે કહ્યુ છે કે આ ઐતિહાસિક ક્ષણ ને ગૌરવ પુર્ણ બનાવવાના બદેલ કોંગ્રેસ સહિતના વિપક્ષો નિવેદનો આપી બહિષ્કાર કરી રહ્યા છે, જે દુર્ભાગ્ય પુર્ણ છે,, બેજવાબદારી ભર્યુ છે,, આનાથી લોકતંત્ર નબળુ પડશે, મને લાગે છે કે  દેશ બધુ જોઇ રહ્યો છે, અને આ કૃત્યને કોઇ પણ સંજોગોમાં સ્વીકાર કરવામા નહી આવે,,તમને જણાવી દઇએ કે 20 પક્ષોએ આ કાર્યક્રમનો વિરોધ કરીને બાયકોટ કર્યો છે, તેમની માંગ છે કે પીએમના બદલે રાષ્ટ્રપતિ કે લોકસભા સ્પીકરે નવા સંસદનો ઉદ્ઘાટન કરવો જોઇએ