HomeBreaking Newsગંગોત્રી અને યમુનોત્રી હાઈવે પર ડેન્જર ઝોન સક્રિય થતા ચિંતા વધી

ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે પર ડેન્જર ઝોન સક્રિય થતા ચિંતા વધી

ભૂસ્ખલનને કારણે ગંગોત્રી હાઇવે અનેક જગ્યાએ બંધ

ચારધામ યાત્રાના એક દિવસ પહેલા જ ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે પર ડેન્જર ઝોન સક્રિય થયા છે આવ્યા છે. હેલગુગડ ખાતે ભૂસ્ખલનને કારણે ગંગોત્રી હાઇવે એક કલાક માટે બંધ રહ્યો હતો, જ્યારે ખાનેડા કિસાલા પાસે ખડકમાં તિરાડ પડતાં યમુનોત્રી હાઇવે 13 કલાકથી વધુ સમય માટે બંધ રહ્યો હતો. હાઈવે પર ડેન્જર ઝોન સક્રિય થવાને કારણે યાત્રા કેવી રીતે સુરક્ષિત રહેશે તે અંગે શંકા સેવાઈ રહી છે. હાઈવે બંધ હોવાને કારણે મા ગંગાના શિયાળાના રોકાણના મુળબામાં મા ગંગાના ડોળી વિદાય કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા અનેક લોકો સમયસર પહોંચી શક્યા ન હતા. માહિતી મળતાં પહોંચેલી રાહત કર્મીઓની ટીમે કાટમાળ અને પથ્થરો હટાવ્યા અને એક કલાક બાદ રોડ ખુલ્લો કર્યો હતો. બીજી તરફ, ખાનેડા કિસાલા પાસે કાટમાળ અને બોલ્ડર આવતાં યમુનોત્રી હાઈવે બંધ થઈ ગયો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments