શું હવે મુકુલ રોય જોડાશે ભાજપમાં ?

0
335

ટીએમસી નેતા મુકુલ રોયના નિવેદન બાદથી તેમની ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ ગઈ છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તે હજુ પણ ભાજપના ધારાસભ્ય છે. તે ભાજપની સાથે જ રહેવા માંગે છે અને ગૃહમંત્રી અમિત શાહ અને જે પી નડાની સાથે પણ મુલાકાત કરવા ઈચ્છે છે. તેઓ કોઈ અંગત કારણોસર દિલ્હી ગયા હતા સોમવારે જ્યારે મુકુલ રોય દિલ્હીની યાત્રા પર હતા ત્યારે તેમના દીકરા શુભ્રાંશુ એ દાવો કર્યો હતો કે તેના પિતા લાપતા છે. સાથે જ તેણે એવું પણ કહ્યું હતું કે તેના પિતાને રાજનીતિમાંથી સન્યાસ લઈ લેવો જોઈએ કારણકે તે માનસિક રીતે બીમાર છે.