ઉત્તર પ્રદેશમા થયો ગમખ્વાર અકસ્માત-20 લોકોના થયા મોત

0
31

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 40 લોકોને ભરેલી ટ્રેક્ટર ટ્રોલી અચાનક ગર્રા નદીમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં 20 લોકોના મોત થઈ ગયા છે. અકસ્માતની જાણ થતા જ હડકંપ મચી ગયો છે. તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.તિલહરના બિરસિંહપુર વિસ્તારમાં શનિવારે બપોરે ટ્રોલીમાં સવાર થઈને લોકો ગંગાજળ ભરવા જઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ટ્રોલીમાં લગભગ 40 લોકો સવાર હતા. ઓવરટેક દરમિયાન ટ્રોલી ટ્રેક્ટરથી છૂટી પડીને ગર્રા નદીમાં જઈને ખાબરી ગઈ. આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રાહત કાર્ય શરૂ કરી દીધું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જો કે, વહીવટીતંત્ર તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.