મહીસાગર જીલ્લામા ભીમ સેના દ્વારા રેલીનુ આયોજન કરાયું

0
315

લુણાવાડાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં આયોજન કરાયું

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ખાતે આજરોજ ભીમસેના દ્રારા બાઇક રેલીનુ આયોજન કરવામાં આવેલ હતુ. આજરોજ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર્વને લઈને ભીમસેના દ્રારા લુણાવાડા નગરમાં રેલીનુ આયોજન કરવામાં આવેલ હતુ. જ્યારે આ બાઈક રેલીમાં લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તેમજ મહીસાગર જીલ્લાના કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.જયારે નગરના વિવિધ વિસ્તારોમાં બાઈક રેલીનુ આયોજન કરવામાં આવેલ હતુ.