વૈશ્વિક કટોકટીની ભારત પર અસર નહી : આરબીઆઈ ગવર્નર

0
818

આરબીઆઈ ગવર્નર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની બેઠકમાં ભાગ લેવા વોશિંગ્ટન પહોંચી ગયા છે શક્તિકાંત દાસ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા વોશિંગ્ટન પહોંચ્યા હતા. સિલિકોન વેલી બેંકના પતન સાથે સંબંધિત એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે યુએસ અને સ્વિટ્ઝર્લેન્ડમાં બેંકોની નિષ્ફળતા સંબંધિત ઘટનાક્રમે સ્વાભાવિક રીતે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેમણે કહ્યું, ‘જ્યાં સુધી ભારતનો સંબંધ છે, ભારતીય બેંકિંગ સિસ્ટમ, ભારતીય નાણાકીય વ્યવસ્થા અમેરિકા અથવા સ્વિટ્ઝર્લેન્ડના વિકાસથી સંપૂર્ણપણે અસ્પૃશ્ય છે. અમારી બેંકિંગ સિસ્ટમ સ્થિતિસ્થાપક, સ્થિર અને સ્વસ્થ છે.