HomeBreaking Newsમ્યાનમાર સેના દ્વારા સ્થાનિક લોકો પર હવાઈ હુમલો

મ્યાનમાર સેના દ્વારા સ્થાનિક લોકો પર હવાઈ હુમલો

સંયુક્ત રાષ્ટ્રએ નાગરિકો પર કરેલા હુમલાની નિંદા કરી
મ્યાનમારમાં સૈન્ય સરકાર દ્વારા કથિત બળવાખોરો પર તાજા હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 100 થી વધુ લોકો માર્યા ગયા છે અને ભારતમાં સ્થળાંતર તેજ થયું છે.એક કાર્યક્રમમાં સામેલ ભીડ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. સરહદ પારથી આવી રહેલા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે સગાઈંગ વિસ્તારમાં થયેલા હુમલામાં બાળકો સહિત સોથી વધુ લોકો માર્યા ગયા છે. તેમના કહેવા પ્રમાણે, આ કાર્યક્રમ સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સામાન્ય લોકોએ પણ તેમાં ભાગ લીધો હતો. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે મ્યાનમારની સેનાએ એક ગામ પર હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ મ્યાનમારની સેના દ્વારા નાગરિકો પર કરવામાં આવેલા હવાઈ હુમલાની નિંદા કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments