દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો, દેશમાં કોરોનાના 5676 નવા કેસ નોંધાયા

0
117

દેશમાં ફરી એકવાર કોવિડ-19 સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. દિલ્હી, રાજસ્થાન, હિમાચલ જેવા ઘણા રાજ્યોમાં જ્યાં એક મહિના પહેલા સુધી કોરોના મહામરીના  કેસ શૂન્ય પર પહોંચી ગયા હતા, ત્યાં પણ હવે કોરોનાના નવા કેસો ચિંતા પેદા કરવા લાગ્યા છે. જોકે, સોમવારની સરખામણીએ મંગળવારે ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 સંક્રમણના 5676 નવા કેસ નોંધાયા છે, જ્યારે સોમવારે કોરોનાના નોંધાયલા કેસોની સંખ્યા 5,880 હતી. આ સાથે જ સક્રિય દર્દીઓની સંખ્યા 37 હજારને પાર થઈ ગઈ છે.