કોરોના અંગે કેન્દ્ર સરકાર એલર્ટ,કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બોલાવી બેઠક

0
128

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.ગુરૂવારે પણ દેશમાં 5 હજારથી વધુ કેસ નોંધાતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. દેશમાં વધી રેહેલા કેસો અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે એક બેઠક બોલાવી છે.જેમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજવામાં આવશે. બેઠકમાં વિવિધ રાજ્યોમાં કોરોનાની લઈને સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.દેશમાં કોરોનાના કેસોની સાથે કોરોનાના કારણે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 25 હજારેને પાર પોહંચી છે.