પાટણના સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામમાં આવેલા વોકળામાં પાણી પીવા જતા અકસ્માતે પડી ગયેલા ત્રણ બાળકોના મોત નિપજ્યા છે. ત્રણેય બાળકોના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પર પરિવારજનો પહોંચતા આક્રંદભર્યો માહોલ છવાયો હતો.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પાટણના સુજનીપુર ગામના વોકળામાં ત્રણ બાળકોના ડૂબી જતાં મોત
RELATED ARTICLES