અમદવાદમાં 77માં સ્વાતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી

0
70
અમદવાદમાં 77માં સ્વાતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી
અમદવાદમાં 77માં સ્વાતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી

77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

AMC  દ્વારા ઉજવણી કરવામાં આવી

તિરંગા યાત્રા યોજાઈ

મેયર કિરીટ પરમાર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું

અમદવાદમાં 77માં સ્વાતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. 77માં સ્વતંત્રતા દિવસની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.અમદાવદ શહેરના મેયર કિરીટ પરમાર દ્વારા રાણીપમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો..ધ્વજ વંદન કાર્યક્રમની શરૂઆત રાણીપ બસ ડેપો થી  ધ્વજવંદન સ્થળ સુધી ત્રિરંગા યાત્રા થી કરવામાં આવી હતી..મેયર કિરીટ પરમાર દ્વારા ધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન ગાઈ ધ્વજ વંદન કરવામાં આવ્યું..મેયર કિરીટ પરમાર, મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેંનારસન સહિત સાબરમતીના ધારાસભ્ય ડો હર્ષદ પટેલ તેમજ સ્વાતંત્ર સેનાની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.. મેયર કિરીટ પરમાર દ્વારા સૌ નગરજનોને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી તેમજ સ્વાતંત્ર પર્વનો સંદેશ આપતા જણાવ્યું કે સમગ્ર દેશ હરઘર તિરંગા તેમજ મેરી માટી મેરા દેશ ના કાર્યક્રમની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર માં અને પ્રકારના પ્રજાલક્ષી કામો થઈ રહ્યા છે..

અમદવાદમાં 77માં સ્વાતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી

ઘાટલોડિયા વિધાનસભામાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

 હિતેશ બારોટે તિરંગા યાત્રાને પ્રસ્થાન  કરાવ્યું

અમદવાદમાં 77માં સ્વાતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. 75 વર્ષ આઝાદીના અમૃત મહોત્સવ અને મારી માટી મારો દેશ પર્વ ઉજવણી ના ભાગ રૂપે ઘાટલોડિયા વિધાનસભામાં  વિશાળ ત્રિરંગા યાત્રા નિકળી.સતાધાર ચાર રસ્તાથી નિકળી યાત્રા, ઘાટલોડિયા, સાયન્સ સીટી ,સોલા, આને ગોતા વિસ્તારના નાગરિકો યાત્રામાં  જોડાયા.AMC  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે તિરંગા યાત્રાને પ્રસ્થાન  કરાવ્યું હતું.સ્થાનિક કોર્પોરેટર અને નાગરિકો જોડાયા ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ