કેદારનાથ યાત્રાને સરળ બનાવવા 8 કિલોમીટર લાંબી ટનલ બનશે

0
313
ભક્તો કાલીમઠ સહિત પ્રાચીન મઠો-મંદિરોમાં જઈ શકશે 
કેદારનાથ યાત્રાને સરળ અને સુલભ બનાવવા માટે સોનપ્રયાગથી કાલીમઠ થઈને ગુપ્તકાશી સુધી વન-વે બાયપાસ બનાવવામાં આવશે. આ બાયપાસ પર સોનપ્રયાગથી કાલીમઠ વચ્ચે 8 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. ભક્તો બાયપાસ દ્વારા કાલીમઠ સહિત ઘાટીના પ્રાચીન મઠો અને મંદિરોમાં પણ પહોંચી શકશે. રોડ સેક્ટરમાં આ ટનલ સમગ્ર ઉત્તરાખંડમાં સૌથી લાંબી હશે 2013ની આપત્તિ બાદ કેદારનાથ યાત્રાને સરળ અને સુલભ બનાવવા માટે સરકારી સ્તરે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે કેદારનાથને પુનઃનિર્માણ હેઠળ ભવ્ય દેખાવ આપવામાં આવી રહ્યો છે