પાકિસ્તાનની જેલમાંથી વધુ ૨૦૦ માછીમારોનો છુટકારો

0
76

પાકિસ્તાનની જેલમાંથી વધુ ૨૦૦ ભારતીય માછીમારોનો છુટકારો થયા વહેલી સવારે વડોદરા ટ્રેન મારફતે આવી પહોંચ્યા હતા. માછીમારોએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાનની જેલોમાં આશય વેદના અને યાતનાઓના ભોગ બન્યા છીએ . જેલમાં પુરતું જમવાનું આપવામાં આવતું નથી. અમે જેલમાંથી નીકયા તેના બે દિવસ પહેલા એક માછીમારનું મોંત થયું હતું. અને અમે જેલમાં બંધ હતા તે સમય ગાળા દરમિયાન 12 જેટલા અમારા સાથીઓને અમે ગુમાવ્યા છે. યોગ તબીબી સારવાર અને વેદનાઓને કારણે માછીમારોના મોંત થયા હતા.

ભારતીય દરિયાઈ સીમા પરથી અમને પાકિસ્તાની કોસ્ટગાર્ડ પકડીને લઇ ગઈ હતી તેમ પણ તમામ માછીમારોએ જણાવ્યું. અહી ઉલ્લેખનીય છેકે માછીમારોની વતન વાપસી પ્રસંગે ચહેરા પર ખુશી જણાતી હતી. તાજેતરમાં ૨૦૦ જેટલા ગુજરાતી માછીમારો પણ પોતાને વાત પાકિસ્તાની જેલમાંથી છુટીને ગુજરાત આવી પહોંચ્યા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ