યાત્રાધામ અંબાજીની  કોટેજ હોસ્પિટલ ફરી વિવાદમાં

0
202

500 બેડની અંબાજીની હોસ્પિટલ માત્ર સરકારી ચોપડે જ  અદ્યતન

યાત્રાધામ અંબાજીની  કોટેજ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. આજે વહેલી સવારે  સિમેન્ટ ખાધેલ  એક મહિલાનું મોત થયું છે. મહિલાના પરિવારએ અંબાજી કોટેજ હોસ્પિટલ  પર આક્ષેપ કર્યો છે.  ઈમરજન્સી વોર્ડમાં સ્ટાફ હાજર ન હોવાના લીધે  મોત થયું છે. જો સમયસર સારવાર મળી હોત  તો જીવ બચી શકે તેમ હતો.  હોસ્પિટલ સ્ટાફ આ મામલે  મીડિયા સામે બોલવાનો ઇનકાર કર્યો છે.