આ ખનીજથી વધશે દેશની આર્થીક તાકાત
દેશમાં મહત્વપૂર્ણ ખનિજોનો વિપુલ ભંડાર મળી રહ્યો છે, જેના કારણે આપણા દેશની આર્થીક તાકાત વધશે . આ ખનિજો મેળવીને રાજ્યો પણ સમૃદ્ધ થશે. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં કેટલાક ખનીજ તત્વોનો સંગ્રહ મળી આવ્યો છે, જેનો ઉપયોગ સ્માર્ટફોન, ટીવી અને કોમ્પ્યુટરથી લઈને ઓટોમોબાઈલમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે હૈદરાબાદની નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ આ ખજાનાની શોધ કરી છે. વૈજ્ઞાનિકો સિનાઈટ જેવા ખડકો માટે સર્વે કરી રહ્યા હતા. ત્યારે જ તેણે લેન્થેનાઈડ ખનિજો મળી આવ્યા . વૈજ્ઞાનિક પીવી સુંદર રાજુએ જણાવ્યું હતું કે અનંતપુરમાં વિવિધ કદના ઝિર્કોન ખનીજ મળ્યા છે.
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.