બુમરાહ નો અનુભવ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ: મોહમ્મદ કૈફ

0
190
બુમરાહ નો અનુભવ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ: મોહમ્મદ કૈફ
બુમરાહ નો અનુભવ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ: મોહમ્મદ કૈફ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનું નિવેદન

બુમરાહનો અનુભવ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ: મોહમ્મદ કૈફ

બુમરાહ નહીં રમે તો વર્લ્ડ કપ હારી જઈશું: મોહમ્મદ કૈફ

બુમરાહ ને લઈને ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનું નિવેદન સામે આવ્યું છે. ભારતે આ મહિને આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણી રમવાની છે. જસપ્રીત બુમરાહ 10 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. આ શ્રેણીમાં જ બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેના પરફોર્મન્સ પર તમામ ચાહકોની નજર રહેશે. ભારતના ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન મોહમ્મદ કૈફનું માનવું છે કે બુમરાહનો અનુભવ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેcણે કહ્યું કે નોકઆઉટ મેચોમાં ટીમ ઈન્ડિયા માટે બુમરાહ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો તે નહીં રમે તો એશિયા કપ 2022 અને T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયા સાથે જે થયું તે જ હશે. એશિયા કપમાં ભારત સુપર-ફોર રાઉન્ડમાં બહાર ફેંકાઈ ગયું હતું, જ્યારે ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડનો 10 વિકેટે પરાજય થયો હતો. તેમણે કહ્યું કે ભારત પાસે બોલિંગ પાવર એટલો  સારો નથી. કૈફે કહ્યું- જે ખેલાડીઓ હાલમાં ઈજાગ્રસ્ત છે તે વર્લ્ડ કપમાં ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે. ટીમ ઈન્ડિયાની આશા તેના પુનરાગમન પર ટકેલી છે. બુમરાહ લાંબા સમય બાદ ટીમમાં પાછો ફર્યો છે અને તે રમશે પછી જ ખબર પડશે કે તે કેટલો ફિટ છે.ઘરઆંગણે વર્લ્ડ કપમાં સારો દેખાવ કરવા માટે ભારતને સંપૂર્ણપણે ફિટ બુમરાહની જરૂર છે.. જો બુમરાહ વર્લ્ડ કપ નહીં રમે તો ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં હારી જશે. ટીમનું ભાગ્ય એશિયા કપ T20 2022 અને T20 વર્લ્ડ કપ 2022 જેવું જ હશે. અમારી પાસે બુમરાહ માટે બેકઅપ નથી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ