દાંતા તાલુકામાં આવેલું પૌરાણિક શિવ મંદિર , અસામાજીક તત્વોએ મંદિર કર્યું હતું ખંડિત

0
340

દાંતા તાલુકા મા અનેક પૌરાણિક મંદિરો આવેલા છે .ત્યારે દાંતા જોડે આવેલું ચોરી ગામ જ્યાં મહાદેવનું પૌરાણિક શિવ મંદિર છે. અને ત્યાં એક શિવલિંગ છે જેને અમુક લાલચી લોકો દ્વારા ખંડિત કરવામાં આવ્યું છે. ગ્રામ વાસીઓ અનુસાર ત્યાં અમુક અસામાજિક તત્વો દ્વારા ધનની લાલચમાં શિવ મંદિર અને શિવલિંગ ના આજુબાજુ ખોદકામ કરતાં શિવલિંગ અને મંદિરને નુકસાન પહોચાડ્યું છે. જેના લીધે શિવ મંદિર અને શિવલિંગ ખંડિત થયું છે.મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં લોકો દૂર દૂરથી ચોરી ગામમાં મહાદેવ અને શિવલિંગની પૂજા અર્ચના કરવા આવતા હોય છે. તો સાથે સાથે ગ્રામવાસીઓ પણ શિવની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે ગ્રામ વાસીઓ હવે આ પૌરાણિક શિવ મંદિરને ભવ્ય રૂપ આપવા માંગ રહ્યા છે. અને ભવ્ય મંદિર નિર્માણ કરવાની ઇચ્છી  રહ્યા છે.