તો શું અમિત શાહની ટીકીટ ગાંધીનગરથી નક્કી ?

0
190
અમિત શાહ
અમિત શાહ

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પૂરી થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે લોકસભા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત કર્યા વગર જ લોકસભા કાર્યાલયનું ઉદ્ધાટન કરવાનું શરૂ કર્યું છે. આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગુજરાત અધ્યક્ષ સી.આર. પાટીલ એવું બોલ્યા હતા કે, અમિત શાહની લોકસભા કાર્યાલયનું ઉદ્ધાટન છે.

 

અમિત શાહ

Lok Sabha Election 2024 News: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતમાં તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ દ્વારા આજે ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે આ માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી, પરંતુ ગાંધીનગરની લોકસભા સીટ પરથી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર ચૂંટણી લડે તે લગભગ નક્કી છે. લોકસભા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સી.આર પાટીલે કરેલી વાતથી આ બાબત સ્પષ્ટ થાય છે.

અમિત શાહના કાર્યાલયનું થયું ઉદ્ઘાટન

અમિત શાહ

હકીકતમાં આજે મંગળવારે ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગ હતો. જેમાં ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા તથા કેન્દ્રિય ગૃહમંત્રી શાહ હાજર હતા. કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ એવું બોલી ગયા કે, શાહના લોકસભા કાર્યાલયનું ઉદ્ઘટન………. જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, અમિતભાઈ આગામી લોકસભા ચૂંટણી ગાંધીનગરથી જ લડશે.

2019માં 5 લાખથી વધુ મતથી જીત્યા હતા અમિત શાહ

અમિત શાહ

2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો અહીંથી ચૂંટણી લડતા અમિત શાહે 5.57 લાખ વોટથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. ભાજપને આ બેઠક પરથી 8,94,624 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ડો. સી.જે ચાવડાને માત્ર 3.37 લાખ વોટ મળ્યા હતા. ગાંધીનગરની બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ રહી છે. ત્યારે આ વખતે પણ ભાજપ ગાંધીનગરની આ બેઠક પર ફેવરિટ માનવામાં આવી રહી છે.

તમે આ પણ વાંચી શકો છો

પ્રજાસત્તાક દિવસે દુનિયા જોશે ભારતની તાકાત. પરેડમાં આ શસ્ત્રને કરવામાં આવ્યું સામેલ