‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ

0
62
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ

ગુજરાતના ૨૦ જિલ્લાઓની ૪૮૯ ગ્રામ પંચાયતોમાં ૧.૫૦ લાખથી વધુ નાગરિકો સંકલ્પ યાત્રામાં સહભાગી થયા

રાજ્યમાં ૨૪,૩૧૯ નવા આયુષ્યમાન કાર્ડ બનાવાયા જેમાંથી ૧૭,૪૦૪ કાર્ડનું સ્થળ પર વિતરણ કરાયું

 રાજ્યમાં કુલ ૧.૪૮ લાખથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા

 વિવિધ આરોગ્ય કેમ્પમાં ૫૬ હજારથી વધુ વ્યક્તિઓની તપાસ કરાઇ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.  તા. ૨૪ નવેમ્બરના રોજ ગુજરાતમાં બનાસકાંઠાના ૨૦ ગામ, ભરૂચના ૧૯, છોટાઉદેપુરના ૪૮, ડાંગના ૪૦, દાહોદના ૧૦૦,નર્મદાના ૪૦, સુરતના ૬૦,  વલસાડના ૪૦, મહેસાણાના ૧૩, પાટણના ૧૬, બોટાદના ૪, સુરેન્દ્રનગરના ૨૦, મોરબીના ૧૨, પોરબંદરના ૮, કચ્છના ૧૨, અમરેલીના ૧૦,રાજકોટના ૫, જામનગરના ૮, ગીર સોમનાથના ૬ અને જૂનાગઢ જિલ્લાના ૮ એમ ૨૦ જિલ્લાઓની ૪૮૯ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૧,૫૦,૯૧૬ ભાઇઓ અને બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ યાત્રા દરમિયાન રાજ્યમાં કુલ ૧.૪૮ લાખથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા હતો. આ પ્રસંગે ૨૪,૩૧૯ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા જેમાંથી ૧૭,૪૦૪ કાર્ડનું મહાનુભાવોના હસ્તે યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું.આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ ૫૬,૧૧૮ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. ઉપરાંત ૨૫,૩૦૦ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ ૧૩,૮૪૯ વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. ‘મારૂ ભારત’ અંતર્ગત કુલ ૨,૮૮૯ સ્વયંસેવક નોંધાયા હતા. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૩,૫૨૦ નામ નોંધવામાં આવ્યા છે. ૧,૮૯૯ મહિલાઓને, ૨,૮૪૬ વિદ્યાર્થીઓને, ૩૭૫ રમતવીરોને તેમજ ૨૭૯ સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ