અંકલેશ્વરમાં કેમ લાગી ભીષણ આગ ?

0
155

અંકલેશ્વરના ગોડાઉનમાં લાગ્યો ભીષણ આગ

આગ ઉપર 3 કલાકમાં કાબુ મેળવાયો

ગરમીની સાથે સાથે આગની ઘટનાઓમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરમાં ભંગાર માર્કેટમાં ફરી ભીષણ આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી ગઇ હોવાનું સામે આવ્યું છે. નેશનલ હાઇવે 48 ઉપર નોબલ માર્કેટની બાજુમાં આવેલ રીગલ સ્ક્રેપ માર્કેટમાં ગુરૂવારે બપોરે આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. આગે ભીષણ રૂપ ધારણ કરતા આકાશ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, બે ગોડાઉન આગની ચપેટમાં આવી ભડકે બળવા લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ પોલીસ અને ફાયર ફાઈટરોને કરવામાં આવી હતી.ત્રણ ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગમાં જાનહાની નહિ થતા સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો છે.