Home Main વડોદરામાં ગરબાના સૌથી મોટા આયોજનમાં કેમ સર્જાયો વિવાદ? હિંદુ સંગઠનોએ ઉઠાવ્યો વાંધો

વડોદરામાં ગરબાના સૌથી મોટા આયોજનમાં કેમ સર્જાયો વિવાદ? હિંદુ સંગઠનોએ ઉઠાવ્યો વાંધો

0
469
ગરબા વિવાદ
ગરબા વિવાદ

શહેરમાં લક્ષ્મી વિલાસ પેલેસ અને વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબાનું આયોજન વિવાદમાં આવ્યું છે. આયોજકોએ મુસ્લિમ વ્યક્તિની માલિકીની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કામ સોંપતા હિંદુ સંગઠનોએ તેની સામે વાંધો ઉઠાવ્યો છે.વડોદરા શહેરમાં નવરાત્રિ દરમિયાન ગરબાના જે મોટા આયોજન થાય છે, તેમાંથી એક છે લક્ષ્મી વિલાસ પેલેસ અને વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબા. આ ગરબા યુવાનોમાં ખાસ્સા લોકપ્રિય છે. યુવાનો અત્યારથી જ ગરબાના પાસ ખરીદવા લાઈન લગાવીને ઉભા છે. જો કે નવરાત્રિ પહેલાં જ આ બંને આયોજન સામે વિવાદ ઉભો થયો છે. જેનું કારણ છે બંને આયોજન માટે વિધર્મીઓને સોંપાયેલા કામ. 

લક્ષ્મી વિલાસ પેલેસ ગરબાના આયોજકોએ શિહાબ પઠાણની કંપની બોયઝોન ઈવેન્ટ એન્ડ પ્રમોશનને ઈવેન્ટના પ્રમોશનને લગતું કામ સોંપ્યું છે, જ્યારે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના આયોજકોએ મંડપને લગતું કામ વિધર્મી વ્યક્તિને સોંપ્યું છે, જેની સામે સાધુ  સંતોએ વાંધો ઉઠાવ્યો છે. જ્યોતિર્નાથ મહારાજે આ અંગે કલેક્ટરને પણ જાણ કરી છે. તેમણે વિશ્વ હિંદુ પરિષદને વિરોધનું આહ્વાહન કરવાની સાથે બીજું ઘણું કહી દીધું છે. જો કે આ મામલે વીએચપી અને બજરંગ દળની કાર્યવાહી વાંધો ઉઠાવવા અને રજૂઆત કરવા પૂરતી મર્યાદિત રહી છે. 

વિધર્મીઓને ગરબાનાં આયોજનનું કામ સોંપવા સામે જ્યાં બજરંગ દળનો વાંધો શાબ્દિક છે, ત્યાં ગરબામાં વિધર્મીઓની એન્ટ્રી સામે સંગઠનના હોદ્દેદારોએ ગર્જના કરી છે. રવિવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર વિશ્વ હિંદુ પરિષદની શૌર્ય જાગરણ યાત્રા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વીએચપીના રાષ્ટ્રીય અને સ્થાનિક હોદ્દેદારો તેમજ ભાજપનાં કેટલાક ધારાસભ્યોએ ગરબામાં વિધર્મીઓની એન્ટ્રી રોકવા હુંકાર કર્યો હતો. જો કે વડોદરાના મુદ્દે વિરોધ હજુ સ્થાનિક સાધુસંતો પૂરતો મર્યાદિત છે. તેની પાછળ કેટલાક કારણો પણ ચર્ચાઈ રહ્યા છે.

એક તરફ જ્યાં ગરબાના આયોજન પર વિવાદ સર્જાયો છે, ત્યાં લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાના આયોજકોને આ મામલે વિવાદનું કોઈ કારણ નથી જણાતું. ધર્મના નામે ઉભા થતા વિવાદમાં ઘણી વાર સગવડને પણ ધ્યાનમાં લેવાતી હોય છે. ત્યારે આગળ જતાં આ મામલો શું વળાંક લે છે, તે જોવું રહેશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે