અમિત શાહે કોંગ્રેસ ઉપર કેમ કર્યા પ્રહાર !

0
126

નવા સંસદના ઉદ્ઘાટનને લઇને અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

કોંગ્રેસના બહિષ્કારથી કોઇ ફેર નથી પડતો- અમિત શાહ

જનતાનો આશિર્વાદ નરેન્દ્રમોદીની સાથે છે- શાહ

નવી સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમના બાયકોટથી નારાજ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર જોરદાર પ્રહારો કર્યા હતા, તેઓએ જણાવ્યુ હતું કે છત્તિસગઢ, ઝારખંડ, તામિલનાડુ, જેવા રાજ્યોમાં જ્યારે કોગ્રેસ રાજ્યપાલો વગર વિધાનસભાઓનું ખાત મુહુર્ત કરે તો બધુ બરાબર હોય છે,,પણ જો ભાજપ કરે તો તેઓ વિરોધ કરે છે, વડા પ્રધાન નરેન્દ્રમોદીને દેશની જનતાનો આશિર્વાદ છે, કોંગ્રેસ ભલે ન આવે તેનાથી કોઇ ફેર પડતો નથી, તમને જણાવી દઇએ કે અમિતશાહ  આસામ ગયા છે, જ્યાં તેઓએ મણિપુર હિંસા લઇને પણ ચર્ચા કરી છે, અને શાંતિ સ્થપાય તે માટે કેન્દ્ર સરકાર પ્રયાસરત હોવાની વાત કરી છે,