મનસુખ વસાવાએ બાબા બાગેશ્વર ધામને લઇને શુ કહ્યું

0
56

.બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે ભાજપના ભરૂચના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાની કારોબારીમાં પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યુ છે કે 2024 ની લોકસભાની ચૂંટણી ભાજપ ધાર્મિક કે બાગેશ્વર બાબાથી નહિ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસકામોથી જીતવાની છે..તેઓએ જણાવ્યુ કે દેશમાં હવે રામરાજ્ય આવી રહ્યું છે અને જે દેશની સુખાકારી માટે જે જરૂરી છે. બાગેશ્વર બાબા છે જેવો પણ આધ્યાત્મિક છે અને જેવો દેશમાં વ્યસન મુક્તિ માટે કામ કરી રહ્યા છે અને જેમને મારું સમર્થન છે. વડાપ્રધાને રામજન્મ ભૂમિ, 370 કલમ સહિત રાષ્ટ્રહિતમાં જે બિન જરૂરી કાયદા કાનૂન દૂર કર્યા તેના પર 2024 ની ચૂંટણી ભાજપ પ્રધાનમંત્રીના વિકાસકામો પર જીતશે.