રાજ્યપાલોને સુપ્રીમકોર્ટેને શું આપી સલાહ

0
96

સુપ્રીમકોર્ટે સોમવારે રાજ્યપાલોના કામકાજને લઈને મહત્વ પૂર્ણ ટિપ્પણી કરી હતી. તેલંગાણા સરકારે રાજ્યપાલ ટી.સુંદરરાજન દ્વારા બિલ પર નિર્ણય નહીં લેવાને કારણે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સરકારનું કહેવું છે કે રાજ્યપાલ દ્વારા બિલ અંગે એક મહિનો થઈ જવા છતાં સરકાર દ્વારા મોકલાયેલા બિલ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. આ બિલ વિધાનસભામાં પસાર કરીને મોકલાયા હતા. આ અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે  સરકાર દ્વારા મોકલાયેલા બિલ લટકાવી ખાલી ખોટું વિલંબ ન કરશો. રાજ્ય સરકારો વતી મોકલાયેલા બિલને રાજ્યપાલ દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે કે પછી અસંમતિની સ્થિતિ હોય તો તેને તાત્કાલિક પરત કરી દેવામાં આવે