અમને મુસ્લિમોના એક પણ વોટની જરૂર નથીઃકે.એસ.ઇશ્વરપ્પા

0
58

કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી કેએસ ઇશ્વરપ્પાએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે અમને મુસ્લિમોના એક પણ વોટની જરૂર નથી. ઇશ્વરપ્પાએ વીરશૈવ-લિંગાયત ધાર્મિક વિભાજનના મુદ્દે એક બેઠક દરમિયાન આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ હાજર હતા. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. કર્ણાટક ચૂંટણી માટે સોમવારે નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ચૂંટણી અધિકારીઓએ માહિતી આપી છે કે 517 ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા છે.