મણિપુરમાં હિંસા યથાવત

0
145

મણિપુરમાં હિંસા યથાવત

સુગનુ-સૈરોમાં ફાયરિંગ

 ફાયરિંગમાં 3 જવાન થયા શહિદ

મણિપુરમાં હિંસા યથાવત છે. મણિપુરહિંસામાં BSF સહિત આસામ રાઈફલ્સના બે જવાન ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ સીમા સુરક્ષા દળના જવાનનું નામ રણજીત યાદવ જણાવવામાં આવી રહ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કર્ફ્યુ વચ્ચે સોમવારે રાત્રે ફરી હિંસા ફાટી નીકળી હતી. જેમાં બીએસએફ જવાન રંજીતને ઇજા થતાં સારવાર માટે જીવન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જવાનની હાલત બગડતાં તેનું મૃત્યુ થયું હતું, જ્યારે આસામ રાઈફલ્સના બે જવાન ઘાયલ હોવાનું કહેવાય છે. આસામ રાઈફલ્સના બંને જવાનોનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. રાજ્યમાં હિંસાને જોતા મણિપુર સરકારે ઈન્ટરનેટ પ્રતિબંધ 10 જૂન સુધી લંબાવ્યો છે. આસામ રાઇફલ્સે BSF અને પોલીસ સાથે મળીને સેરાઉ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, પોતાને સુરક્ષા દળો દ્વારા ઘેરાયેલા જોઈને, આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. સેરુમાં ગોળીબાર દરમિયાન બીએસએફનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને આસામ રાઈફલ્સના બે જવાનને ગોળી વાગી હતી, જેમને સારવાર માટે મંત્રીપુખરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સારવાર દરમ્યાન જવાનો શહિદ થયા હતા

મણીપુર હિંસા

Violance

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના મુલાકાત બાદ પણ મણિપુર સળગી રહ્યુ છે,સ્થિતિ ઉપર કાબુ હોવાના દાવા વચ્ચે  ફરી એક વાર હિંસા ફાટી નિકળી છે,, જેમાં કાકચિંગ જિલ્લામાં  100થી વધુ ઘરોમાં આગ લગાવી લેવામાં આવી છે , અને સ્થાનિક ધારાસભ્યના ઘરમાં પણ આગ લગાવી દેવામાં આવી છે, તમને જણાવી દઇએ કે મણિપુરમા કુકી અને મૈતેઇ જાતિઓ વચ્ચે હિંસા ફાટી નિકળી છે, જેમાં સેનાના 2400થી વધુ સંસ્ત્રો પણ લુટી લેવામા આવ્યા છે, અત્યાર સુધી 80થી વધુ લોકોના જીવ ગયા છે, અને લાખો લોકો બેધર થઇ ગયા છે, સરકાર કહે છે કે સ્થાનિક હાઇકોર્ટે મૈતેઇ સમુદાય માટે આદિવાસી કેટેગરીમા સામેલ કરવા માટે સ્થાનિક સરકાર આગળ વધી શકે છે તેવો નિર્યણ કરતા આ વિવાદ