Tragedy Marrs Holi Celebrations: ધુળેટીનો પર્વ માતમમાં ફેરવાયો: ગુજરાતમાં ડૂબી જવાથી 17 જિંદગીઓ હોમાઈ, અનેક પરિવારોમાં છવાયો શોક

0
123
 Tragedy Marrs Holi

Tragedy Marrs Holi Celebrations: ગુજરાતના ખૂણે ખૂણેથી માઠા સમાચાર | મહીસાગર, સુરત, અમદાવાદ અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં નદી-તળાવમાં નહાવા પડવું જીવલેણ સાબિત થયું.

સમગ્ર દેશ અને રાજ્ય જ્યારે હોળી-ધુળેટીના રંગોમાં તરબોળ હતું, ત્યારે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. ધુળેટી રમીને શરીર સાફ કરવા જળાશયોમાં નહાવા પડેલા કુલ 17 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. જે પરિવારોમાં સવારે ગુલાલ ઉડતો હતો, ત્યાં સાંજ પડતા આક્રંદના દૃશ્યો સર્જાયા હતા.

 Tragedy Marrs Holi Celebrations: મુખ્ય દુર્ઘટનાઓ પર એક નજર

Tragedy Marrs Holi Celebrations
જિલ્લો / સ્થળવિગતમૃતકોની સંખ્યા
મહીસાગરનદીમાં નહાવા પડેલા 2 સગા ભાઈ સહિત05
સુરત (માંગરોળ)કીમ નદીમાં નહાવા ગયેલા યુવાનો03
અમદાવાદ (માંડલ)સીતાપુર પાસે ડૂબી જવાથી03
અરવલ્લીમાલપુર અને ધનસુરામાં ડૂબી જવાથી (2-2)04
કડી અને અમરેલીઅલગ-અલગ ઘટનામાં02
કુલ17

1. સુરતના માંગરોળમાં કીમ નદીએ ત્રણ યુવાનોનો ભોગ લીધો

Tragedy Marrs Holi Celebrations

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ નજીક અત્યંત દુખદ ઘટના બની હતી. એક રેસીડેન્સીમાં રહેતા યુવાનો સવારથી ધુળેટી રમી રહ્યા હતા. રંગોથી રમી લીધા બાદ શરીર સાફ કરવા નજીકમાં વહેતી કીમ નદીમાં નહાવા ગયા હતા.

  • મૃતકોની ઓળખ: ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી ભાઈ સિંગ અને સંજય ધનજી માંગુકિયા.
  • કોસંબા પોલીસ અને ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા હતા.

2. અરવલ્લીના માલપુરમાં બે માસૂમ પિતરાઈ ભાઈઓના મોત

Tragedy Marrs Holi Celebrations

અરવલ્લીના માલપુરના નવા (જાંબુ ફળી) ગામે તળાવમાં નહાવા પડેલા બે માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. રાયચંદ ડામોર અને જૈમીન ડામોર નામના બે પિતરાઈ ભાઈઓ (ધોરણ 5 અને 6 ના વિદ્યાર્થીઓ) ધુળેટી રમીને શરીર સાફ કરવા તળાવે ગયા હતા, જ્યાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

Tragedy Marrs Holi Celebrations:  તંત્રની અપીલ અને અસાવધાની

વહીવટી તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે અજાણ્યા જળાશયો, નદી કે ચેકડેમમાં નહાવા જવું જોખમી છે. છતાં, ઉત્સાહમાં આવીને કરવામાં આવતી આવી અસાવધાની દર વર્ષે અનેક પરિવારોના ચિરાગ ઓલવી નાખે છે.

આ પણ વાંચો :મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની કાળી છાયા: પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાતા 600 એકમો બંધ થવાના આરે, 3 લાખ શ્રમિકોની રોજગારી જોખમમાં