Home Dharma માટીના ગરબાની પરંપરા આધુનિક સમયમાં પણ યથાવત

માટીના ગરબાની પરંપરા આધુનિક સમયમાં પણ યથાવત

0
814
માટીના ગરબાની પરંપરા આધુનિક સમયમાં પણ યથાવત
માટીના ગરબાની પરંપરા આધુનિક સમયમાં પણ યથાવત

નવરાત્રી અને દિવાળી નજીક આવી રહી છે તેમતેમ કુંભકારની વસાહતોમાં અને કારીગરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણકે ભલે સમય બદલાયો હોય અને ડિજીટલ યુગમાં લોકો આધુનિક બન્યા છે પરંતુ માટીના કોડિયા અને ગરબાની માંગ યથાવત છે. કારણકે માતાજીના માટીના ગરબા સાથે જોડાયેલી પરંપરા લોકો જીવંત રાખી રહ્યા છે અને અસ્થા , શ્રદ્ધા અને આરાધનાનું પર્વ ધામધુમથી મનાવવા તૈયાર છે. માટીના કોડિયા અને માટીના ગરબા બનાવતા કારીગરો વ્યસ્ત છે અને માંગને પહોંચી વળવા ચોવીસ કલાક મહેનત કરી રહ્યા છે. અને પરિવારો ખરીદીમાં વ્યસ્ત બન્યા છે.

ગરબા

કારીગરોનું કહેવું છેકે ચાઈનીજ કોડિયા અને ગરબાનું આક્રમણ થતા ભારતીય બજારમાં લોકોએ વપરાશ શરુ પણ કર્યો હતો પરંતુ જયારે લોકલ ફોર વોકલની અપીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ તથા ચીનના ઉત્પાદનોમાં થયેલો વિરોધ અને ત્યાર પછી આવેલી જનજાગૃતિને કારણે તથા સદીઓથી ચાલતી આવતી પરંપરાને સાચવવાના મૂળ હેતુ થી માટીના કોડિયા અને ગરબા બનાવતા કારીગરોમાં ફરી એક વાર જાણે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂની પેથીના માણસોને ખાસ યાદ હશે કે ગામડાઓમાં નીભાડામાં પકવેલા માટીના ગરબા અને કોડિયા નવરાત્રીના એક મહિના પહેલાજ ચાલુ થઇ જતા અને ગામડાના કારીગરી રાતદિવસ માંગને પહોંચી વળવા નહેનત કરતા હતા. નવરાત્રી અને દિવાળી સિવાય આ કારીગરો માટલા બનાવીને કે રોટલા શેકવાની લોધી બનાવતા હતા પરંતુ આધુનીક્તાએ તેમાં પણ જાણે આ કારીગરોને માર આપ્યો હોય તેમ માટલા અને માટીની લોઢીની માંગ દિવસે ને દિવસે ઓછી થતી ગઈ અને કારીગરોના નવી પેઢીના યુવાનો અન્ય વ્યવસાયમાં જોડાવા મજબુર બન્યા પરંતુ આજે પણ અનેક પરિવારો આ પરંપરાને પહોંચી વળવા કામ કરી રહ્યા છે.

કુંભાર ગરબો

આધુનિક સમયમાં પણ માટીના કોડીયાની માંગ જોવા મળી રહી છે સમયની સાથે માટીના કોડીયા અને ગરબા બનાવવાનો ચાકડો લાકડાના બદલે હવે ઈલેકટ્રીક સંચાલિત બન્યો છે. એક સમય હતો ગામડામાં કુંભકારની વસાહતમાં નવરાત્રી અને દિવાળી નજીક આવે ત્યારે ધમધમાટ જોવા મળતો. આજે આ પરિવારો પણ આધુનિક બન્યા છે અને માટીના વાસણો બનાવવાનો ચાકડો સંપૂર્ણ રીતે વીજળી સંચાલિત બન્યો છે અને વધુ પ્રોડક્શન કરવામાં મદદરૂપ થઇ રહ્યો છે. કારીગરો પણ હવે લાકડાના ચાકડાને બદલે વીજળીથી ચાલતા ચક્દાનો ઉપયોગ કરીને સદીઓ જૂની પરંપરાને સાચવી પણ રહ્યા છે અને આધુનિક બનીને પોતાનો વ્યાપાર વિકસિત કરી રહ્યા છે.

વી.આર. લાઈવ પણ અમારા વાચકો અને દર્શકોને આ નવરાત્રી અને દીપાવલી આ કારીગરોને મદદરૂપ બનવાની અને આપની પ્રાચીન પરંપરાને જીવિત રાખવાની અપીલ કરે છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે