રાષ્ટ્રપતિ લોકાર્પણ કરે તેવી માંગ કરતી પીઆઈએલ સુપ્રીમ કોર્ટે ફગાવી

0
101

૨૮ મે, ૨૦૨૩ એટલે કે રવિવારના રોજ નવા સંસદના લોકાર્પણને લઈને રાજકારણ ગરમાયું છે. ૧૮ જેટલી વિપક્ષી પાર્ટીએ આનો બહિષ્કાર કર્યો છે, જ્યારે બસપા સહીત કેટલીક પાર્ટીઓએ આ મુદ્દે કેન્દ્ર સરકારને સમર્થન જાહેર કર્યું છે. મુદ્દો એ છે કે, આ સંસદ ભવનનું લોકાર્પણ વડાપ્રધાન નહીં, પરંતુ રાષ્ટ્રપતિ કરે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી. જોકે, સમાચાર મળી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટે આ પીઆઈએલને ફગાવી છે.