માફિયા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાનો મામલો

0
55

પ્રયાગરાજમાં ન્યાયિક કમિશનના સભ્યોની હાજરીમાં ઘટનાનું રીક્રીએશન

૧૫ એપ્રિલના રોજ પ્રયાગરાજમાં માફિયા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની સરાજાહેરમાં મીડિયા અને પોલીસની હાજરીમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાકાંડને લઈને હાલમાં તપાસનો ધમધમાટ ચાલુ છે. જેને લઈને કેલ્વિન હોસ્પિટલ ખાતે ન્યાયિક કમિશનના સભ્યોએ ગેંગસ્ટર અતીક અને અશરફ અહેમદની હત્યાના દ્રશ્યને ફરીથી બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ માટે ન્યાયિક કમિશનના સભ્યોએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કેલ્વિન હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં 15 એપ્રિલે ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરવામાં આવી હતી.