બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જુઓ શું બોલ્યા…

0
79
કોવિડ કેસ વધી રહ્યા છે, સતર્કતા રાખવી જરૂરી : સીએમ નીતિશ કુમાર
ધીરે ધીરે તમામને ખબર પડશે કે કોમી હિંસા કોને ભડકાવી : સીએમ નીતિશ કુમાર

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હાલની કોરોનાની સ્થિતિ અને સાસારામ-બિહારશરીફમાં થયેલી કોમી હિંસાને લઇ મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું છે કે, “કોરોનાનું ચક્ર ચાલુ રહેશે, પરંતુ અમે 2020થી સતત સક્રિય છીએ. અમે હજુ પણ બિહારમાં તપાસ કરાવી રહ્યા છીએ. હવે પટનામાં કોવિડના કેસ કેસ વધી રહ્યા છે. હું સતત કહેતો રહું છું કે, દરેકે સાવધાન રહેવું જોઈએ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “બિહારમાં એકબીજા વચ્ચે વિવાદ ન થાય તે માટે અમે ઘણા પ્રયાસો કર્યા છે, જ્યારે કેટલાક લોકોએ 1-2 જગ્યાએ ઝઘડો કર્યો ત્યારે તેમને તરત જ પકડી લેવામાં આવ્યા હતા. જોકે, ધીરે ધીરે તમામને ખબર પડશે કે આ ગડબડ કોણે કરી.”