સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર આ મામલો સાત જજોની બેંચને મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે કોર્ટે આ મામલે અનેક મહત્વપૂર્ણ અવલોકનો કર્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્રના રાજ્યપાલનો નિર્ણય ભારતના બંધારણ અનુસાર નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે શિંદે જૂથ પર પ્રહાર કર્યા . તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ છે કે શિવસેના શિંદે જૂથનો વ્હીપ ગેરકાયદેસર છે. રાઉતે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સરકાર ગેરકાયદેસર છે અને બંધારણ વિરુદ્ધ રચવામાં આવી છે.ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.