Home State Gujarat Rajkot Finance Scam: રાજકોટનું કરોડોનું ફુલેકું ફેરવનાર પાંભર દંપતી સુરતથી ઝડપાયું ખોટા...

Rajkot Finance Scam: રાજકોટનું કરોડોનું ફુલેકું ફેરવનાર પાંભર દંપતી સુરતથી ઝડપાયું ખોટા સોગંદનામા કરી દુબઈની સહેલગાહ કરી આવ્યા

0
273
Rajkot Finance Scam
Rajkot Finance Scam

Rajkot Finance Scam: રાજકોટમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી સુરત આવીને વસેલા ધનંજય ફાયનાન્સના માલિક ઘનશ્યામ પાંભર અને તેમની પત્ની અસ્મિતાબેન પાંભરની સુરત પોલીસે ધરપકડ કરી છે. કાયદાની આંખમાં ધૂળ નાખી, પાસપોર્ટ ખોવાઈ ગયાનું ખોટું સોગંદનામું કરી નવો પાસપોર્ટ કઢાવી વિદેશ જઈ આવનાર આ દંપતીનો ભાંડો આખરે ફૂટી ગયો છે.

Rajkot Finance Scam: શું હતો સમગ્ર મામલો?

Rajkot Finance Scam

વર્ષ 2021માં રાજકોટમાં ‘ધનંજય ફાયનાન્સ’ના નામે રોકાણકારોના કરોડો રૂપિયા હડપ કરી જવાનો ગુનો આ દંપતી સામે નોંધાયો હતો. આ કેસમાં હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા, જેમાં મુખ્ય શરત એ હતી કે તેઓએ પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો અને કોર્ટની મંજૂરી વગર ભારત છોડવું નહીં.

Rajkot Finance Scam: કાયદાને છેતરવા ઘડાયું કાવતરું

પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં વિદેશ જવાની લાલસામાં આ દંપતીએ એક મોટું કાવતરું ઘડ્યું:

  • ખોટી અરજી: સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ ખોવાઈ ગયા હોવાની ખોટી ફરિયાદ કરી.
  • ખોટું સોગંદનામું: અસલી પાસપોર્ટ કોર્ટમાં હોવા છતાં, તે ગુમ થયા છે તેવું ખોટું સોગંદનામું રજૂ કર્યું.
  • નવો પાસપોર્ટ: પોલીસના પ્રમાણપત્રના આધારે સુરત પાસપોર્ટ કચેરીમાંથી નવો પાસપોર્ટ મેળવી લીધો અને દુબઈનો પ્રવાસ પણ કરી આવ્યા.

Rajkot Finance Scam: સાક્ષીની સતર્કતાએ ખોલ્યો પર્દાફાશ

Rajkot Finance Scam

રાજકોટના એક જાગૃત સાક્ષીને બાતમી મળી હતી કે પાંભર દંપતી વિદેશ જઈ આવ્યું છે. આ માહિતીના આધારે તપાસ થતા સામે આવ્યું કે જેલ અને કોર્ટની કાર્યવાહીથી બચવા માટે આ દંપતીએ ડિંડોલી પોલીસ સ્ટેશનના ખોટા રિપોર્ટનો ઉપયોગ કર્યો હતો. તપાસ બાદ 22 એપ્રિલ 2026ના રોજ તેમની સામે ગુનો નોંધાયો છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

પોલીસના જણાવ્યા અનુસાર, ઘનશ્યામ પાંભર સામે અગાઉ રાજકોટ અને સુરતમાં લેન્ડ ગ્રેબિંગ અને છેતરપિંડી સહિતના 5થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ સુરતના મોટા વરાછા વિસ્તારમાં પ્રોપર્ટી ડીલર તરીકે ઓળખ છુપાવીને રહેતા હતા.

હાલમાં બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં ACP નિરવ ગોહિલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: આપને મોટો ફટકો , રાઘવ ચઢ્ઢા સહીત ૭ રાજ્યસભા સાંસદે આપ્યા પાર્ટી માંથી રાજીનામાં , ભાજપમાં જોડાશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે