Rajkot BJP:રાજકોટ ભાજપનું નવું માળખું જાહેર: અંજલીબેન રૂપાણીનો કારોબારીમાં સમાવેશ

0
187
Rajkot BJP
Rajkot BJP

Rajkot BJP:રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેર ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે દ્વારા રવિવારે 18 વોર્ડના પ્રભારી અને 70 કારોબારી સભ્યોની નિમણૂક જાહેર કરવામાં આવી છે. આ નિમણૂકોમાં સૌથી મહત્વની વાત પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીનો કારોબારી સભ્ય તરીકે સમાવેશ છે.

Rajkot BJP

મહામંત્રીઓને સોંપાઈ ઝોન વાઈઝ જવાબદારી

ચૂંટણીલક્ષી કામગીરીને વેગ આપવા માટે શહેરના ત્રણેય મહામંત્રીઓને વિધાનસભા બેઠક મુજબ જવાબદારી સોંપવામાં આવી છે:

  • વલ્લભ દુધાત્રા: પૂર્વ વિધાનસભા-68
  • લલિત વાડોલિયા: પશ્ચિમ વિધાનસભા-69
  • યોગેન્દ્રસિંહ જાડેજા: વિધાનસભા-70 અને 71
Rajkot BJP

Rajkot BJP:કારોબારીમાં દિગ્ગજોનો સમાવેશ

70 સભ્યોની કારોબારીમાં અંજલીબેન રૂપાણી ઉપરાંત પૂર્વ પ્રમુખ કશ્યપ શુકલા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, કિરણબેન માંકડિયા અને અશ્વિન મોલીયા જેવા અનુભવી ચહેરાઓને સ્થાન આપીને સંગઠનને મજબૂત બનાવવામાં આવ્યું છે.

18 વોર્ડના નવા પ્રભારીઓની યાદી (મુખ્ય નિમણૂકો):

વોર્ડ વાઈઝ જવાબદારી સોંપતા પૂર્વેશ ભટ્ટ (વોર્ડ-1), મયુર પાંભર (વોર્ડ-2), ભરતસિંહ જાડેજા (વોર્ડ-3), અને ડો. વિજય ટોળીયા (વોર્ડ-17) સહિતના 18 પ્રભારીઓના નામ જાહેર કરાયા છે.

Rajkot BJP
Rajkot BJP
Rajkot BJP

આ પણ વાંચો :શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરથી સેન્સેક્સ 2,300 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો સ્વાહા