Gyanvapi Case: જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો

0
81
Gyanvapi Case: જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો
Gyanvapi Case: જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો

Gyanvapi Case: સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. જે બાદ જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે.

વારાણસીની જિલ્લા અદાલતે જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં નમાજ પઢવાની પરવાનગી આપી હતી. અંજુમન એરેન્જમેન્ટ મસ્જિદ કમિટીએ તેની સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે જિલ્લા અદાલતના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરીને મસ્જિદ કમિટીને મોટો ઝટકો આપ્યો છે.

Gyanvapi Case: જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો
Gyanvapi Case: જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો

સુપ્રિમ કોર્ટનો યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ

અંજુમન અંજામિયા મસ્જિદ કમિટીની અરજી પર સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તથ્યોને ધ્યાનમાં રાખીને કે 17 જાન્યુઆરી અને 31 જાન્યુઆરીના આદેશો પછી પણ જ્ઞાનવાપી (Gyanvapi)માં મુસ્લિમ સમુદાય દ્વારા નમાઝ અદા કરવામાં આવી રહી છે. ભોંયરામાં એક હિન્દુ પૂજારી દ્વારા પણ પૂજા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં યથાસ્થિતિ જાળવી રાખવી યોગ્ય છે.

સુપ્રીમ કોર્ટે અંજુમન એરેન્જમેન્ટ્સ મસ્જિદ કમિટીની અપીલ પર હિંદુ પક્ષને પણ નોટિસ પાઠવી છે અને તેમનો જવાબ માંગ્યો છે.

Gyanvapi Case: હાઈકોર્ટના નિર્ણય સામે મસ્જિદ સમિતિ સુપ્રીમ કોર્ટના દરવાજે

વાસ્તવમાં, 31 જાન્યુઆરીએ વારાણસી કોર્ટે તેના એક આદેશમાં હિન્દુ શ્રદ્ધાળુઓને જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પ્રાર્થના કરવાની પરવાનગી આપી હતી.

વારાણસી કોર્ટના આ નિર્ણયને અંજુમન એરેન્જમેન્ટ મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે, હાઈકોર્ટે કમિટીની અરજી ફગાવી દીધી હતી અને જિલ્લા કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. હવે અંજુમન અંજામિયા મસ્જિદ કમિટીએ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

જિલ્લા અદાલતે પોતાના આદેશમાં કહ્યું હતું કે કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નામાંકિત પૂજારી દ્વારા વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવામાં આવશે. જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરનાર પૂજારીએ કહ્યું કે તેમના દાદા વ્યાસજી ડિસેમ્બર 1993 સુધી ભોંયરામાં નમાજ પઢતા હતા. જોકે, બાદમાં આ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ સામે મસ્જિદ કમિટીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે મસ્જિદ કમિટીને પહેલા હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટમાંથી નિરાશા મળ્યા બાદ હવે મસ્જિદ કમિટીને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝટકો લાગ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો