અમદાવાદી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. ઢોર અંકુશ પોલીસીને મંજૂરી આપી દેવામાં આવી છે. તે અંતર્ગત કોઈપણ વ્યક્તિ દુધાળા પશુ રાખે કે તેનો કોમર્શિયલ ઉપયોગ કરે તેને લાયસન્સ ફી પેટે 500 તેમજ પરમિટ ફી માટે 250 રૂપિયા ભરવાના રહેશે. લાયસન્સ ફી ત્રણ વર્ષ માટે માન્ય રહેશે ત્યારબાદ લાયસન્સ રીન્યુ કરવાનું રહેશે. શું અ પ્રકારની પોલીસી સમગ્ર રાજ્યની પાલિકાઓ અમલમાં કેમ નથી લાવતી ? સવાલ એ છેકે શું તંત્ર આ પોલીસીનો કડક અમલ કરાવી શકશે ? કે પછી રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેશે ? કેવા પ્રકારનું આયોજન તંત્રે કર્યું છે .