જમશેદપુરમાં ધાર્મિક ઝંડાના ‘અપમાન’ પર હોબાળો.

0
52

 પથ્થરમારો અને આગચંપી બાદ ધારા 144 લાગુ

ઝારખંડના જમશેદપુરના શાસ્ત્રી નગરમાં ધાર્મિક ધ્વજના અપમાનને પગલે રોષે ભરાયેલા ટોળા દ્વારા પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી.જે બાદ આ વિસ્તારમાં ધારા 144 લાદવામાં આવી છે.  અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હિંસક ટોળાએ બે દુકાનો અને એક ઓટો-રિક્ષાને આગ ચાંપી દીધી હતી.પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.